Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ગાંધી પરિવાર સાથે સંકળાયેલ વધુ એક ટ્રસ્ટ પર ગોટાળાના આક્ષેપ : આક્ષેપ કરનાર કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય

નવી દિલ્હી,તા. ૩: કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય અદિતિસિંહે કોંગ્રેસ સામે મોટો આક્ષેપ કર્યા છે. તેમણે કમલા નેહરૂ એજ્યુકેશનલ સોસાયટી પર છેતરપિંડીનો આક્ષેપ કર્યો છે. અને આ અંગે આર્થિક અપરાધ શાખાને લખ્યું છે. કમલા નેહરૂ એજ્યુકેશન ટ્રસ્ટને ૧૦૦ કરોડ રૂપિયાની જામીન આપવામાં આવી હતી. જેન ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દીરા ગાંધીના શાસન કાળથી જ ગાંધી પરિવારના વફાદારો દ્વારા ચલાવાઇ રહ્યું છે. અદિતિ સિંહે ટ્વીટ કર્યું કે કન્યાઓના અભ્યાસને પ્રોત્સાહન આપવાના નામ પર આ જમીન લઇ લેવાઇ પણ દાયકાઓ પછી પણ તેનો ઉપયોગ નથી કરવામાં આવ્યો અને હવે આ જમીનને કરોડો રૂપિયામાં વેચી દેવાની તજવીજ થઇ રહી છે. કમલા નેહરૂ એજ્યુકેશન સોસાયટીની આ છેતરપિંડી અને નાણાકીય ગોટાળાઓની તપાસ માટે મે આજે આર્થિક અપરાધ શાખાને પત્ર લખ્યો છે.

તેમના આ ટવીટ પર ભાજપા આઇટી સેલના ઇન્ચાર્જ અમિત માલવીયએ લખ્યુ કે જમીન હડપવાનો રોગ ફકત જમાઇને જ નહી આખા નેહરૂ ગાંધી પરિવારને છે.

(12:50 pm IST)