Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

રામમંદિર પરિસરમાં ૪૯૨ વર્ષ બાદ 'દિવ્ય દિવાળી' ઊજવાશે

અયોધ્યા,તા.૩ : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિમાર્ણ કાર્ય શરૂ થઇ ગયું છે. અને મંદિર લગભગ સાડા ત્રણ વર્ષમાં બનીને તૈયાર થઇ જશે. આ દરમિયાન અયોધ્યામાં દિવાળી ખાસ રીતે ઉજવાની તૈયારીઓ ચાલી રહી છે. આ વખતે અસ્થાયી મંદિરમાં બિરાજમાન રામલલાના દરબારમાં દીવડા પણ ઝગમગશે અને આખા અયોધ્યામાં લગભગ ૫.૫૧ લાખ દીવા પ્રગટાવવામાં આવશે.

આ વખતે ૪૯૨ વર્ષ બાદ પહેલી વાર દિવ્ય દિવાળીનું આયોજન રામ જન્મભૂમિ પરિસરમાં થશે. આ સાથે જ અસ્થાયી મંદિરમાં રામલલાનો દરબાર અગણિત દીવાની રોશનીથી ઝગમગાવાશે. આ પહેલા ઘણા બધા સીમીત દાયરામાં પરિસરમાં દિવાળી ઊજવવામાં આવે છે. અને ફકત પૂજારી જ દીવો પ્રગટાવી શકતા હતા.

દિવાળીના અવસર પર રામલલાના અસ્થાયી મંદિરમાં વિશેષ પૂજા અર્ચના થશે. આ વખતે પણ રામની પેડીમાં નવો રેકોર્ડ બનાવવાની તૈયારી છે અને તેના માટે આખા અયોધ્યામાં ૫ લાખ ૫૧ હજાર દીવા પ્રગટાવવામાં આવશે. આ અવસર પર ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ૧૩ નવેમ્બરના રોજ અયોધ્યા હાજર રહેશ.

રામલલાના મુખ્ય પુજારી આચાર્ય સત્યેંદ્રદાસે કહ્યું કે, આ વખતે દિવાળી રામલલા પરિસરમાં ઊજવવામાં આવશે, આ અદ્વિતીય અને અદ્દભુત છે.

(3:36 pm IST)