Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

યુપી સરકાર છાણ ખરીદી વિજળી ઉત્પન્ન કરશેઃ વારાણસીથી શરૂઆત

લખનૌ તા. ૩: યુપીના પશુધન, દુધ વિકાસ અને મત્સ્ય મંત્રી ચૌધરી લક્ષ્મીનારાયણે જણાવેલ કે રાજય સરકાર ખેડૂતો પાસેથી છાણ ખરીદી વિજળી ઉત્પન્ન કરવાનું કામ કરશે. મંત્રીએ જણાવેલ છે કે આ પરિયોજના હેઠળ પહેલા સંયંત્રની શરૂઆત વડાપ્રધાન મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીથી કરાશે.

સંયંત્ર બે મહિનામાં શરૂ થવાની આશા છે. રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ દ્વારા વિકાસ પરિયોજનાના એમઓયુ પ્રસંગે મંત્રી લક્ષ્મીનારાયણે ઉપરોકત વાત જણાવેલ. આ યોજનાથી ખેડૂતો અને દુધ ઉત્પાદકોની આવક વધશેનું પણ તેમણે જણાવેલ. સરકાર ડેરીએ દુધ લાવનાર ખેડુતો પાસેથી છાણની ખરીદી કરી વિજળી ઉત્પન્ન કરશે. જેથી ખેડૂતોને વધારાની આવક થવાની સાથે છાણનો વ્યવસ્થિત ઉપયોગ થશે.

(2:53 pm IST)