Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

કેદારનાથમાં નારાજ પૂજારીઓ મોદીનો વિરોધ કરે તેવી વકી

વડાપ્રધાન શુક્રવારે કેદારનાથ દર્શન માટે જવાના છે : ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહે કેદારનાથ પહોંચીને મોરચો સંભાળ્યો, અગાઉ પણ અહીં વિરોધ થઈ ચૂક્યો છે

ઉત્તરાખંડ, તા.૩ : પીએમ મોદી પાંચ નવેમ્બરે કેદારનાથ દર્શન કરવા પહોંચવાના છે ત્યારે તેના પહેલા ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામી કેદારનાથ પહોંચ્યા છે. પીએમની મુલાકાત માટેની તૈયારીઓની સમીક્ષા કરવાની સાથે સાથે તેમના કેદારનાથ જવા પાછળનુ એક કારણ કેદારનાથના નારાજ પૂજારીઓને મનાવવાનુ છે. આ પહેલા અહીંયા ભાજપના નેતાઓનો વિરોધ થઈ ચુકયો છે. પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત, ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેબિનેટ મિનિસ્ટર ધનસિંહ રાવતને અહીંયા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પૂજારીઓના એક જૂથે તો પીએમ મોદીનો વિરોધ કરવાની પણ ચેતવણી આપેલી છે. જેના પગલે સીએમ પોતે ડેમેજ કંટ્રોલ માટે પહોંચ્યા છે. આ વિરોધ દેવસ્થાનમ બોર્ડના કાયદાને લઈને થઈ રહયો છે. સીએમ ધામીએ નિવેદન પણ આપ્યુ છે કે, ભાજપ સરકાર પૂજારીઓના સન્માન પર ધ્યાન આપશે અને તેમણે દેવસ્થાનના બોર્ડને લઈને બનેલી કમિટીના અધ્યક્ષ સાથે પણ વાત કરી હતી.

(8:00 pm IST)