Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

કોરોનાના નવા વેરિએન્ટનું ભયંકર સ્વરૂપ

ઓમિક્રોનથી સંક્રમિત એક વ્યકિત ૨૦ લોકોને બનાવી શકે છે પોઝિટિવ

નવી દિલ્હી, તા.૩: કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને ભારતમાં પણ પગપેસારો કરી દીધો છે અને કર્ણાટકમાં ૨ લોકો આ વાયરસથી સંક્રમિત આવ્યા છે. ભારત સરકારે સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અનેક મહત્વના નિર્ણયો લીધા છે અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ કરવાના નિર્ણયને પણ ટાળી દેવામાં આવ્યો છે.

જોકે તમામ જરૂરી પ્રોટોકોલના પાલન બાદ પણ જોખમવાળા દેશો (જયાંના લોકો ઓમિક્રોનથી સંક્રમિત થઈ ચુકયા છે)થી આવનારા મુસાફરોના કારણે સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેવામાં દેશના ચર્ચિત ડોકટર અને મેદાંતા હોસ્પિટલના સંસ્થાપક ડો. નરેશ ત્રેહાને ઓમિક્રોન વેરિએન્ટને લઈ અનેક મહત્વની જાણકારીઓ આપી છે અને લોકોને વાયરસથી સાવધ રહેવા જણાવ્યું છે.

તેમના કહેવા પ્રમાણે ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત હોય તેવી એક વ્યકિત ૧૮ થી ૨૦ લોકોને કોરોના પોઝિટિવ કરી શકે છે. ડોકટર ત્રેહાને આ માટેનું કારણ આપતા જણાવ્યું કે, ઓમિક્રોનની R નોટ વેલ્યુ અન્ય વેરિએન્ટની સરખામણીએ ઘણી વધારે છે. ડો. ત્રેહાને લોકોને કોરોનાના આ વેરિએન્ટથી સુરક્ષિત રહેવાની સલાહ આપતા કહ્યું કે, આપણા પાસે વેકિસનેશન સિવાય અન્ય કોઈ જ વિકલ્પ નથી કારણ કે, તેનાથી ન્યૂનતમ સુરક્ષા બની રહેશે. તેમણે ઓમિક્રોન વેરિએન્ટને લઈ જણાવ્યું કે, આ વાયરસ અંગે જાણવા અને તેને રોકવા માટે તેના માટેના મહત્ત્।મ ડેટાની આવશ્યકતા છે.

તેમના મતે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સેવાકર્મીઓને બુસ્ટર ડોઝ મળવો જોઈએ અને હાલ આપણા પાસે બાળકો માટે કશું જ નથી તેને લઈ તેમણે ચિંતા વ્યકત કરી હતી. તે સિવાય જસલોક હોસ્પિટલના ડો. રાજેશ પારિખના કહેવા પ્રમાણે ઓમિક્રોન વેરિએન્ટ ૫૦૦ ટકા વધારે ઝડપથી ફેલાઈ શકે છે.

(3:47 pm IST)