Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

યુપીમાં 13 વર્ષના બાળક સહિત 9 વિદેશી કોરોના પોઝિટિવ : ત્રણ દિવસમાં એરપોર્ટ પર ઉતરેલા 125 મુસાફરો લાપતા

કોરોના પોઝિટિવ તમામે મથુરા જિલ્લાના વૃંદાવન સ્થિત આશ્રમની મુલાકાત લીધી: આમાંથી ત્રણ લોકો ભારત છોડીને ગયા બાકીના લોકો હાલમાં વૃંદાવન આશ્રમમાં ક્વોરેન્ટાઈનમાં

ઉત્તર પ્રદેશ સરકાર વતી એવું કહેવામાં આવ્યું છે કે, કુલ 9 વિદેશી કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં એક 13 વર્ષનો બાળક પણ છે. આ તમામે મથુરા જિલ્લાના વૃંદાવન સ્થિત આશ્રમની મુલાકાત લીધી હતી. એક અધિકારીએ જણાવ્યું કે આમાંથી ત્રણ લોકો ભારત છોડીને ગયા છે. બાકીના લોકો હાલમાં વૃંદાવન આશ્રમમાં ક્વોરેન્ટાઈનમાં છે. આ તમામ નવેમ્બરના મધ્યમાં ભારત પહોંચી ગયા હતા. ઉત્તર પ્રદેશના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર ડૉ. મિલિંદ વર્ધહને જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં લગભગ 125 મુસાફરો ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા પરંતુ તેમના વિશે કંઈ જાણી શકાયું નથી.

(11:03 pm IST)