Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

પાત્ર વ્યકિતઓએ બુસ્ટર ડોઝ માટે ફરી નામ નોંધાવવું નહીં પડે

નવી દિલ્હી,તા.૪: કોવિન પ્લેટફોર્મના વડા ડો. આર.એસ. શર્માએ આજે જાણકારી આપી છે કે કોવિડ-૧૯નો સાવધાની ડોઝ લેવા માટે જે લોકો પાત્ર હોય એમણે કોવિન એપ પર ફરીથી નામ નોંધાવવાની જરૂર નહીં રહે. એ લોકો બૂસ્ટર ડોઝનો સમય મેળવવા માટે એ જ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે.

વડાપ્રધાન  મોદીએ ગઈ ૨૫ ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે દેશમાં ૧૦મી જાન્યુઆરીથી આરોગ્ય સેવાઓ અને ફ્રન્ટલાઈન કર્મચારીઓને કોરોના રસીનો સાવધાની ડોઝ આપવામાં આવશે.

(10:00 am IST)