Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

૨૪ કલાકમાં ૩૭૩૭૯ કેસઃ ૧૨૪ મોત

ભારતમાં કોવિડના કેસોમાં ૧૦.૭ ટકાનો ઉંછાળોઃ એકટીવ કેસ ૧૭૧૮૩૦

નવી દિલ્હી, તા. ૪: ભારતમાં કોરોના વાયરસના કેસમાં એકધારો વધારો થઈ રહ્યો છે. એક દિવસમાં કોવિડ-૧૯ કેસમાં ૧૦.૭ ટકાનો ઉંછાળો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૭૩૭૯ નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન ૧૨૪ લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે કુલ સંક્રમિતોની સંખ્યા ૩૪૯૬૦૨૬૧ થવા પામી છે તો એકટીવ કેસની સંખ્યા ૧૭૧૮૩૦ થઈ છે. કોરોનાથી સાજા થનારાની વાત કરીએ તો પાછલા ૨૪ કલાકમાં ૧૧૦૦૭ દર્દી સાજા થયા છે. કુલ ૩૪૩૦૬૪૧૪ દર્દીઓ સાજા થયા છે.
અત્યાર સુધીમાં કોરોનાના કારણે ૪૮૨૦૧૭ લોકોના મોત થયા છે. સપ્ટેમ્બર બાદ છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

 

(10:12 am IST)