Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

કોરોનાના વધતા કેસનો પગલે રણજી ટ્રોફી સહીત ત્રણ ડોમેસ્ટિક ટુર્નામેન્ટ રદ કરવા BCCI નો નિર્ણય

સીકે નાયડુ ટ્રોફી અને સિનિયર વિમેન્સ ટી20 લીગ પણ મુલતવી

મુંબઈ :  દેશમાં કોરોનાના વધતા જતા કેસને જોતા BCCIએ રણજી ટ્રોફી સહિત ત્રણ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ મહિનાથી રણજી ટ્રોફીની મેચો શરૂ થવાની હતી. ગત સિઝનમાં પણ કોરોનાને કારણે ભારતની આ ફર્સ્ટ ક્લાસ ટૂર્નામેન્ટ રમાઈ શકી ન હતી.

આ સિવાય સીકે નાયડુ ટ્રોફી અને સિનિયર વિમેન્સ ટી20 લીગ પણ મુલતવી રાખવામાં આવી છે. બોર્ડ દ્વારા ટુર્નામેન્ટની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી નથી. એટલે કે, કોરોનાની સ્થિતિ સારી થયા પછી જ આ અંગે નિર્ણય લેવામાં આવશે. ડોમેસ્ટિક ટૂર્નામેન્ટના વધારાથી IPL 2022ની તારીખોને પણ અસર થશે.

(10:57 pm IST)