Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

"હમ કો મન કી શક્તિ દેના" ફેઇમ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગર વાણી જયરામ, જેમને આ વર્ષે પદ્મ ભૂષણ પુરસ્કાર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, તે આજે શનિવારે તેના ચેન્નાઈના ઘરે મૃત હાલતમાં મળી આવેલ છે

ચેન્નાઈના નુંગમ્બક્કમના હેડોઝ રોડ પરના તેના ઘરે કપાળ પર ઈજા સાથે મૃત હાલતમાં મળી આવેલ.  તેઓ ૭૮ વર્ષના હતા.  વાણી જયરામના પતિનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું અને તે ચેન્નાઈમાં તેના એપાર્ટમેન્ટમાં એકલા રહેતા હતા. તેની નોકરાણી આજે કામ માટે આવી ત્યારે મૃત હાલતમાં મળી આવેલ. ૧૦ હજાર ગીતો ગાનાર 'વાણી'ને બોલે રે પપિહરા.. ગીતથી દેશવ્યાપી ઓળખ મળી હતી.

(10:01 pm IST)