Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

પ્રયાગરાજમાં ૩૧ મે સુધી નાઇટ કર્ફયુ લાગુ

આવશ્યક સેવાઓ સિવાય બધુ બંધ રહેશે

પ્રયાગરાજ : પ્રયાગરાજ જીલ્લામાં નાઇટ કર્ફયુ હવે ૩૧ મે સુધી લાગુ રહેશે. આ દરમ્યાન આવશ્યક સેવાઓ સિવાય બધું બંધ રહેશે. આ ઉપરાંત દર શુક્રવાર, શનિવારે અને સોમવારનો કર્ફયુ પણ લાગુ રહેશે. જો કે આ વખતે બે દિવસ માટે તેને વધારી દેવાયો છે જે ગુરૂવાર સુધી લાગુ રહેશે. નાઇટ કર્ફયુ ત્રણ મે સુધી હતો. સોમવારે મોડી રાત્રે જીલ્લા કલેકટર ભાનુચંદ્ર ગોસ્વામીએ તેને વધારીને ૩૧ મે સુધી કરી દીધો છે.

કલેકટરે જણાવ્યું કે કોરોના સંક્રમણમાં થઇ રહેલા વધારાને જોતા નાઇટ કર્ફયુ અને કોરોના કર્ફયુની મુદત વધારવામાં આવી છે. રોજનો નાઇટ કર્ફયુ રાત્રીના ૮ થી સવારના ૭ સુધી રહેશે. તેમણે જણાવ્યું કે, કોરોનાની ચેઇન તોડવા માટે આમ કરવુ પડયું છે. તેનાથી બચવા માટે લોકો જાતે પણ સાવચેતી રાખે અને ઘરમાંથી બને તેટલા ઓછા બહાર નીકળે.

(3:30 pm IST)