Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

ટિવટરે કંગનાની બકબક કરી બંધઃ સતત ભડકાઉ નિવેદનો કરતા ટિવટર અકાઉન્ટ કર્યુ સસ્પેન્ડઃ ચારેબાજૂ થઈ રહી છે ટીકા

નવી દિલ્હી, તા.૪: કંગના રનૌતે સૌશ્યલ મીડિયા પર ખૂબજ એકિટવ રહે છે. દેશ વિદેશના મુદ્દાઓ ઉપર પોતાનો મત રાખતી હોય છે. હાલ માં જ ઓકિસજન ને લઈનેપોતાની રાય રાખ્યા પછી તેણે બંગાલ વિધાનસભા પરિણામો ઉપર પણ પોતાનો મત રાખ્યો હતો. પશ્યિમ બંગાળમાં એક વાર ફરીથી મમતા બેનર્જીની પાર્ટીની જીત થઈ તો કંગનાએ કેટલાય ટ્વિટ્સ કર્યા. પોતાની પોસ્ટમાં તેણે બંગાળ હિંસાની વિરુદ્ઘ પોતાની મત રાખતા ટીએમસી પર ગંભીર આરોપ લગાવયા છે. જેના કેટલાક સમય પછી જ કંગનાની ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું છે.

કંગના રનૌત મોટે ભાગે સોશ્યલ મીડિયામાં પર બીજેપી અને પીએમ મોદીના સપોર્ટમાં સતત નજર આવી રહી છે. પશ્યિમ બંગાળમાં થઈ રહેલી હિંસા પર કંગના ટીએમસી પર નિશાન સાધતા ટ્વિટ કરી રહી તી. કેટલાક સમય પહેલા તેણે પોતાના ટ્વિટમાં લખ્યું કે હું ખોટી હતી, તે રાવણ નથી. તેતો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. દુનિયામાં સૌથી સારો દેશ બનાવ્યો, મહાન એડમિનિસ્ટ્રેટર હતા વિદ્વાન હતા. અને વીણા બજાવનાર પોતાની પ્રજાનો રાજા હતા, તે તો લોહીની તરસી રાક્ષસી તાડકા છે. જેને લોકોને તેના માટે વોટ કર્યો, લોહીથી તમારા હાથ પણ ખરડાયેલા છે. તેણે ટ્વિટ કરતાં લખ્યું કે ટીએમસી ગુંડાઓએ બીજેપીના કાર્યકર્તાઓના ગેંગરેપ કર્યા છે. ઈંદિરા ગાંધીએ ૩૯ વખત આપતકાલ લગાવ્યો અને તેણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય મીડિયા ભારતને આ વાતની પરવાહ નથી કે તમે શું વિચારી રહ્યા છો. આ અભણ લોહીના પ્યાસી રાષ્ટ્ર પ્રેમી મોદીની ભાષા નથી સમજતા, તેમને ડંડા જોઈએ.

તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળ વિધાન સભાના ચૂંટણી પરિણામો બહાર આવ્યા પછી ત્યાંથી હિંસાના સમાચાર આવી રહ્યા હતા. બીજેપીનો દાવો છે કે તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ બીજેપી કાર્યકર્તાઓ પર હુમલા કરી રહ્યા છે.

(4:11 pm IST)