Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

બૉલીવુડ અભિનેતા સ્વ.સુશાંતસિંહ રાજપૂતના રૂમમેટ સિદ્ધાર્થ પિઠાણીના જામીન મંજુર : સુશાંતસિંહના મૃત્યુ પછી NDPS એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં મુખ્ય આરોપી છે : બોમ્બે હાઈકોર્ટે 50,000 રૂપિયાના અંગત બોન્ડ ભરવાની શરતે જામીન આપ્યા

મુંબઈ : બોમ્બે હાઈકોર્ટે આજ સોમવારે બૉલીવુડ અભિનેતા સ્વ.સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પછી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (NDPS એક્ટ) હેઠળ નોંધાયેલા કેસમાં સુશાંતસિંહના પૂર્વ રૂમમેટ સિદ્ધાર્થ પિઠાણીને જામીન આપ્યા હતા .[સિદ્ધાર્થ વેંકટ રમણ મૂર્તિ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય]રાજપૂતના મૃત્યુના સંબંધમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા તપાસ કરવામાં આવી રહેલા ડ્રગ કેસમાં સિદ્ધાર્થ પિઠાણી મુખ્ય આરોપી છે.

જસ્ટિસ ભારતી ડાંગરેએ ₹50,000ના અંગત બોન્ડ ભરવાને આધીન પિઠાણીને જામીન આપ્યા હતા.

મુંબઈની સ્પેશિયલ કોર્ટે તેની ડિફોલ્ટ જામીન અરજી ફગાવી દીધા બાદ પિઠાણીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી

એડવોકેટ અદ્વૈત તામ્હાંકર દ્વારા દાખલ કરાયેલી અપીલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગેરકાયદે ડ્રગ હેરફેરમાં પિઠાણીની સંડોવણીના કોઈ પુરાવા નથી.

બીજી તરફ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો વતી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર શ્રીરામ સિરસાટે દલીલ કરી હતી કે પિઠાણીના લેપટોપ અને ફોન પરના વિડિયો તેમજ સુશાંતના એકાઉન્ટ્સ દ્વારા નાર્કોટિક્સ ખરીદવા સાથે જોડાયેલા બેંક વ્યવહારો હતા.

આખરે 26 મે, 2021ના રોજ હૈદરાબાદમાંથી પકડાયો તે પહેલા તેને ત્રણ વખત સમન્સ મોકલવામાં આવ્યા હતા.

પિઠાણીને તેમના લગ્નમાં હાજરી આપવા માટે જૂનમાં 15 દિવસના સમયગાળા માટે કામચલાઉ જામીન આપવામાં આવ્યા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(6:13 pm IST)