Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

હર્ષ ગોએન્કાએ એકનાથ શિંદે પર કરેલું ટ્વીટ વાયરલ થયું

આરપીજી સમૂહના ગોએન્કા તેમની રમૂજને લીધે પ્રખ્યાત છે : તેમણે એક ટ્વિટ કરીને કહ્યું છે કે જો મને મળવા આવતા હોવ અને કોઈ તકલીફ પડે તો હું દિલગીર છું

            મુંબઈ, તા.૪ : આરપીજી સમૂહના ગોએક્ના તેમના રમૂજી અને કઈંક નવું જ બહાર લાવવાની તેમની આવડતને કારણે પ્રખ્યાત છે. હવે તેમણે મહારાષ્ટ્રના રાજકરણ પર ચુટકી લીધી છે.  તેમણે એક ટ્વિટ કરીને કહ્યું છે કે જો મને મળવા આવતા હોવ અને કોઈ તકલીફ પડે તો હું દિલગીર છું. મને ખ્યાલ છે કે મારી ઝેડ  સિક્યોરિટી અડચણરૃપ બની શકે છે. તમારા તરફથી સહકારની અપેક્ષા. જય મહારાષ્ટ્ર.

હવે આ ટ્વિટ પાછળનું તાત્પર્ય ત્યારે સમજાશે જ્યારે આપણે ગોએક્નાએ પોસ્ટ કરેલ ફોટો પણ  જોઈશું. ગોએક્નાના ટ્વિટમાં એક સાથે બે ચહેરા નજરે ચડે છે. પહેલી નજરે બંને ચહેરા એક જ જેવા દેખાય છે પરંતુ હકીકતમાં આ બંને વ્યક્તિઓ અલગ છે-એક છે હર્ષ ગોએક્ના અને બીજા છે મહારાષ્ટ્રની રાજકીય ઉથલપાથલના નવા કિંગમેકર એકનાથ શિંદે.

ગોએક્ના અને શિંદેના ચહેરા મળતા આવે છે એટલે આરપીજીના માલિકે ટ્વીટ કરી પોતાના મિત્રોને જણાવ્યું કે મને મળવા આવો ત્યારે તકલીફ પડે તો પ્લીઝ માફ કરજો.

હર્ષવર્ધન ગોએક્ના ભારતના દિગ્ગજ બિઝનેસ સમૂહ ઇઁય્ ગ્રુપના વડા છે. આ ગ્રુપનું વેલ્યુએશન હાલ ૩.૮૦ અબજ ડોલરની આસપાસ છે. તેઓ આર.પી. ગોએક્નાના સૌથી મોટા પુત્ર છે અને ૧૯૮૮થી આરપીજી ગ્રુપના ચેરમેન છે. ફોર્બ્સ દ્વારા અબજોપતિઓમાં તેઓ ૭૭મા સૌથી ધનિક ભારતીય અને વિશ્વમાં ૧૨૮૧મા ક્રમે છે.

(8:00 pm IST)