Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

દારૂના કૌભાંડમાં દોષિતો સામે કાર્યવાહી થવી જોઈએ પરંતુ કેન્દ્રીય એજન્સીનો દુરુપયોગ નહીં : દિલ્હી કોંગ્રેસ

કોંગ્રેસ કોઈપણ ગેરરીતિને સમર્થન આપતી નથી :અરવિન્દરસિંહ લવલી

નવી દિલ્હી : દિલ્હીની એક્સાઇઝ પોલીસીના કેસમાં આપ સાંસદ સંજયસિંહની ધરપકડ બાદ રાજકીય ગરમાવો આવ્યો છે,  દારૂના કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી થવી જ જોઈએ પરંતુ કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ થવો જોઈએ નહીં તેમ આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહની ધરપકડ મામલે દિલ્હી પ્રદેશ અધ્યક્ષ અરવિન્દરસિંહ લવલીએ જણાવ્યું હતું 

 

લવલીએ વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસ કોઈપણ ગેરરીતિને સમર્થન આપતી નથી, દારૂ કૌભાંડમાં દોષિતો સામે કાર્યવાહી થવી જોઈએ પરંતુ એજન્સીનો દુરુપયોગ પણ ન થવો જોઈએ...: 

   
(7:59 pm IST)