Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

CCTV કેમેરામાં કોઈ પુરાવા નજરે પડતા નથી : ફેબ્રુઆરી 2020 માં દિલ્હીમાં થયેલા દેખાવો દરમિયાન પથ્થરમારો કરવાના આરોપસર જેલમાં પુરાયેલા આરોપીને જામીન ઉપર મુક્ત કરતી દિલ્હી હાઇકોર્ટ

ન્યુદિલ્હી : દિલ્હીમાં 25 ફેબ્રુઆરી 2020 ના રોજ થયેલા તોફાનો દરમિયાન  પથ્થરમારો કરી અન્ય કોમના લોકોને  ઇજા પહોંચાડવાના આરોપસર એપ્રિલ માસમાં ધરપકડ કરી જેલમાં મોકલી દેવાયેલા આરોપી 63 વર્ષીય  લિયાકત અલીને જામીન ઉપર મુક્ત કરવાનો દિલ્હી હાઇકોર્ટએ આદેશ કર્યો છે.

જસ્ટિસ શ્રી સુરેશકુમાર કૈટે જણાવ્યું હતું કે તોફાન સમયે આરોપીએ પથ્થરમારો કર્યાના CCTV કેમેરામાં કે અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક માધ્યમમાં પુરાવા દેખાતા નથી.તેમજ ઉપરોક્ત કેસની તપાસ પણ હવે પુરી થઇ ગઈ છે.તેથી આરોપીને જેલના સળિયા પાછળ ગોંધી રાખવાનો કોઈ મતલબ નથી.

નામદાર કોર્ટએ આરોપીને 25 હજાર રૂપિયાના જામીન ઉપર મુક્ત કરી દેવાનો હુકમ કર્યો છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:26 pm IST)