Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

પશ્ચિમ બંગાળના વર્ધમાન જીલ્લાના કાટવા ટેલીફોન મેદાનમાં સ્થાપીત જવાહર લાલ નહેરૂની પ્રતિમા ઉપર શાહી ફેંકાઇ

નવી દિલ્હીઃ  વર્ધમાન જિલ્લાના કાટવા ટેલીફોન મેદાનમાં દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની પ્રતિમા ઉપર કાળી સહી ફેંકવામાં આવી હતી. શુક્રવારે મોડી રાતે જવાહરલાલ નહેરૂની પ્રતિમા ઉપર સહી ફેંકવાની દ્યટના દ્યઠી હતી. ફરિયાદ બાદ પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. અને મૂર્તિને સાફ કરવામાં આવી હતી

અત્રે ઉલ્લેખનિય છે કે, ત્રિપુરામાં ભાજપના ઐતિહાસીક જીત બાદ દેશમાં નેતાઓની પ્રતિમાઓને ખંડિત કરવાનો સિલસિલો ચાલ્યો છે. ત્રિપુરામાં લેનિનની મૂર્તિ તોડવાથી આ શરૂઆત થઈ હતી. જે બાગ તમિલનાડુમાં પેરિયાર, પશ્યિમબંગાલમાં શ્યામાપ્રસાદ મુખર્જી અને ઉત્ત્।રપ્રદેશના મેરઠમાં બાબા આંબેડકરની મૂર્તિને ખંડિત કરી હતી. કેરળમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની મૂર્તિ સાથે પણ તોડફોડ કરવામાં આવી હતી.

(12:00 am IST)