Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ભાજપ મહારાષ્ટ્રમાં આગલું નિશાન એનસીપી ઉપર સાધશેઃ એકલાહાથે ફરી સરકાર રચવા વ્યુહ

શિવસેનાને ધ્વંશ કર્યા બાદ કોનો વારો ?

મુંબઇ તા. પ : શિવસેનાને તોડયા બાદ હવે ભાજપનું આગલુ નિશાન એનસીપી હોય શકે છે. શરદ પવારની પાર્ટીના મોટાભાગના નેતાઓ ઉપર લાગેલ કથીત ભ્રષ્ટાચારના આરોપ જ તેમની સૌથી મોટી મુશ્કેલી બની શકે છે.

રાજકીય વિશ્લેષકો મુજબ શિવસેના બાદ એનસીપીમાં બગાવતનો વારો છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વને સાફ લાગી રહ્યું છે કે, મહારાષ્ટ્રમાં એનસીપીને નબળી કર્યા સીવાય તેમના માટે લોકસભામાં વધુ બેઠકો લાવવા અને મહારાષ્ટ્રમાં ફરી સરકાર બનાવવું સરળ નહીં હોય.

(3:15 pm IST)