Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

સમાપ્ત નથી થઈ કોરોનાની બીજી લહેરઃ ૮ રાજયોમાં હજુ R-વેલ્યૂ વધુ : સરકાર

કેરલ, મહારાષ્ટ્ર, મણિપુર અને અરૂણાચલ પ્રદેશ સહિત છ રાજયોના ૧૮ જિલ્લામાં છેલ્લા ચાર સપ્તાહમાં કોવિડના નવા દૈનિક મામલા વધતા જોવા મળી રહ્યાં છે

નવી દિલ્હી,તા.૪: દેશમાં કોવિડ-૧૯ના પ્રસારમાં ફરી તેજીના સંકેત મળી રહ્યાં છે. કોરોનાના પ્રસારને દર્શાવનાર રિપ્રોડકિટવ રેટ ૮  રાજયોમાં એકથી વધુ છે. આ થોડા સમય પહેલા ૦.૬ પર પહોંચી ગયો હતો તથા પાછલા મહિને ૦.૮ થયો અને હવે વધીને ૧.૨ થઈ ગયો છે. ત્રણ રાજયોમાં તો સૌથી વધુ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુકત સચિવ લવ અગ્રવાલ તથા નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે મંગળવારે સાપ્તાહિક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં આર નંબર સૌથી વધુ ૧.૪ છે જયારે લક્ષદ્વીપમાં ૧.૩ છે. મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, હરિયાણા, ગોવા, ઝારખંડ, નાગાલેન્ડમાં આ ૧ તથા કેરલમાં અને પુડુચેરીમાં ૧.૧ છે.

રિપ્રોડકિટવ નંબર કે આર વેલ્યૂ તે દર્શાવે છે કે કોઈ રોક કેટલો સંક્રામક છે એટલે કે એક મામલાથી અન્ય કેટલા મામલા ફેલાય શકે છે, તેની સંખ્યા દર્શાવે છે. જો તે એકથી નીચે હોય તો તે માનવામાં આવે છે કે રોગ નિયંત્રણમાં છે. એકથી વધુ હોયા પર રોગના તેજીથી પ્રસારના સંકેત મળે છે.

લવ અગ્રવાલે કહ્યું કે કેરલ, મહારાષ્ટ્ર, મણિપુર અને અરૂણાચલ પ્રદેશ સહિત છ રાજયોના ૧૮ જિલ્લામાં છેલ્લા ચાર સપ્તાહમાં કોવિડના નવા દૈનિક મામલા વધતા જોવા મળી રહ્યાં છે. આ ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે પાછલા સપ્તાહે કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસમાં ૪૯.૮૫ ટકા કેસ કેરલમાં સામે આવ્યા. સરકારે કહ્યું કે ૧૨ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૪૪ જિલ્લામાં ૨ ઓગસ્ટે સમાપ્ત થઈ રહેલા સપ્તાહમાં કોરોના વાયરસનો સાપ્તાહિક સંક્રમણ દર ૧૦ ટકાથી વધુ છે.

લવ અગ્રવાલે કહ્યુ કે વૈશ્વિક મહામારી ખતમ થવાથી હજુ ખુબ દૂર ચે. જયાં સુધી ભારતની વાત છે તો હજુ બીજી લહેર પૂરી થઈ નથી. વિશ્વભરમાં કોરોનાના દૈનિક કેસ હજુ પણ વધારે છે. એક પ્રશ્નના ઉત્ત્।રમાં નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કહ્યુ કે,  જોસનસ એન્ડ જોનસને કોરોના વેકસીનની ટ્રાયલ માટે અરજી કરી હતી, પરંતુ ડ્રગ કંટ્રોલર તરફથી તેને જણાવવામાં આવ્યું કે તેની રસી અમેરિકામાં સ્વીકૃત છે તેથી ટ્રાયલની જરૂર નથી તો તેણે પરત લઈ લીધું. બાળકોની રસી વિશે તેમણે કહ્યું કે જયારે વેકિસન ઉપલબ્ધ હશે, ત્યારબાદ રસીકરણની નીતિ પર વિચાર કરવામાં આવશે.

કોરોના રસીકરણ વિશે લવ અગ્રવાલે કહ્યુ કે ૩૭.૨૬ કરોડ લોકોને એક તથા ૧૦.૫૯ કરોડ લોકોને રસીના બંને ડોઝ લાગી ચુકયા છે. જુલાઈમાં એવરેજ ૪૩.૪૧ લાખ રસી દરરોજ લગાવવામાં આવી જયારે જૂનાં તે ૩૯.૮૯ તથા મેમાં ૧૯.૬૯ લાખ પ્રતિદિન હતી. જુલાઈમાં ૧૩.૪૫ કરોડ રસી લગાવવામાં આવી જયારે જૂનમાં ૧૧.૯૬ કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે સાત રાજયોમાં ત્રણ કરોડથી વધુ ડોઝ લગાવવામાં આવ્યા છે. તેમાં યૂપીમાં સૌથી વધુ ૪.૮૮ કરોડ, મહારાષ્ટ્રમાં ૪.૫૦, ગુજરાતમાં ૩.૪૦, રાજસ્થાનમાં ૩.૩૩, એમપીમાં ૩.૩૦, કર્ણાટકમાં ૩.૧૪ તથા બંગાળમાં ૩.૦૨ કરોડ ડોઝ આપવામાં આવી ચુકયા છે.

(10:23 am IST)