Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

તેલંગાણા સચિવાલય ભવનને તોડી પાડયાની સાથે બે મસ્જીદો પણ તૂટીઃ મામલો સુપ્રિમ કોર્ટમાં

હૈદરાબાદ તા. પઃ તેલંગાણા સચિવાલયના પરિસરમાં આવેલી બે મસ્જીદોને તોડી પાડવાના મામલામાં હાઇકોર્ટમાં થયેલી સહમતિને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવેલ છે. જેમાં ખ્વાજા બિલાલ અહેમદે વિશેષ અરજી દાખલ કરી છે.

તેલગાણા સચિવાલય પરિસરને તોડીને નવું ભવન બનાવવાની યોજના મુજબ જુના ભવનને તોડી નખાયેલ જેમાં અમે મસ્જીદ અને હાશિમ મસ્જીદ નામે બે મસ્જીદો હોવાનું અરજીમાં જણાવાયું છે.

૧પમી જુલાઇના કોર્ટમાં સહમતિ સધાઇ છે પણ અરજીકર્તા કોઇપણ સતા વિના તેલગાંણા વકફ બોર્ડ તરફથી સ્વતંત્ર રીતે કંઇ કરી શકે નહીં તે તેમનો અધિકાર નથી તેવો મત પણ પ્રવર્તે છે.

(11:29 am IST)