Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ICMRની નવી એડવાઇઝરી જાહેર

હવે બીજા રાજયમાં જવા માટે પણ કરાવવો પડશે કોરોના ટેસ્ટ?

ICMRના કોરોના ટેસ્ટને લઈને નવી ગાઈડલાઈન્સ મુજબ રાજય પ્રવાસી પાસેથી કોરોના નેગેટિવ રિપોર્ટ માગી શકે છે.

નવી દિલ્હી, તા.૫: કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે સ્વાસ્થ્ય મંત્રાલય અંતર્ગત કામ કરનારી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ટેસ્ટિંગ રણનીતિમાં મોટા ફેરફાર કર્યા છે. અત્યાર સુધી ડોકટર્સ અને ડિસ્ટ્રિકટ એડમિનિસ્ટ્રેશનની સલાહ પર લોકોનો કોરોના ટેસ્ટ થતો હતો, પરંતુ હવે કોઈપણ તે ટેસ્ટ કરાવી શકે છે. શુક્રવારે જાહેર કરાયેલી નવી એડવાઈઝરીમાં ICMRએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ રાજય ઈચ્છે છે તો પોતાના ત્યાં આવનારા અન્ય રાજયના નિવાસીઓનો કોવિડ નેગેટિવ રિપોર્ટ માગી શકે છે.

માનવામાં આવી રહ્યું છે કે ICMR દ્વારા આવી સલાહ એટલા માટે આપવામાં આવી છે જેથી રેલવે અને હવાઈ યાત્રા જેવી સેવાઓમાં કોઈ મુશ્કેલી ન આવે. એવામાં એક રાજયમાંથી બીજા રાજયમાં જનારા લોકોએ કોરોના ટેસ્ટ કરાવવો પડી શકે છે. જોકે હજુ સુધી કોઈ રાજયએ પોતાના તરફથી આ સંબંધમાં કોઈ નિર્દેશ જાહેર કર્યો નથી.

ટેસ્ટિંગની રણનીતિને સફળ બનાવવા માટે ચાર શ્રેણી અંતર્ગત શુક્રવારે જાહેર કરાયેલી સલાહમાં કહેવાયું છે કે કન્ટેનમેન્ટ ઝોન્સમાં કામ કરી રહેલા હેલ્થવર્કર્સનો ટેસ્ટ થવો જોઈએ. કોઈમાં લક્ષણ હોય કે ન હોય તેઓ પોતાની તપાસ કરાવી શકે છે. આ ઉપરાંત જે લોકોએ છેલ્લા ૧૪ દિવસમાં ઈન્ટરનેશનલ મુસાફરી કરી છે, તેમનામાં સિમ્પ્ટોમેકિટ ઉપરાંત પણ તપાસ થશે.

હોસ્પિટલોમાં ગંભીર શ્વાસની બીમારીઓથી પીડાતા લોકોની તપાસ થશે. આ સાથે જ હેલ્થકેર સેન્ટરમાં ઉપસ્થિત તમામ લક્ષણવાળા લોકોના ટેસ્ટ કરાશે. કહેવાયું છે કે આ સંપૂર્ણ પ્રક્રિયા દરમિાયન સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કોન્ટકટ, ટ્રેસિંગ અને ટ્રેકિંગની રણનીતિ અપનાવી જોઈએ.

ICMRના ગાઈડલાઈન્સ 'એડવાઇઝરી ઓન કોવિડ-૧૯ સ્ટ્રેટર્જી ઈન ઈન્ડિયા' મુજબ કોઈ વ્યકિતમાં રેપિડ એન્ટીજન ટેસ્ટ (RAT)ના નેગેટિવ આવ્યા બાદ કેટલાક લક્ષણો મળે છે તો તેનો RT-PCR ટેસ્ટ કરાવવો જોઈએ. હાલના અપડેટ મુજબ, ભારત કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશોના લિસ્ટમાં ત્રીજા નંબરે છે. ભારતમાં ૪૦ લાખથી વધારે કોરોનાના મામલા સામે આવી ચૂકયા છે.

આ ગાઈડલાઈન્સમાં લખ્યું છે કે કન્ટેનમેન્ટ ઝોનમાં રહેનારા લોકો ૧૦૦ ટકા રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવવો જોઈએ. ખાસ કરીને તે શહેરોમાં જયાં કોરોના વાયરસનું સંક્રમણ વધારે ફેલાયેલું છે. ટેસ્ટની અછતના કારણે કોઈપણ ગર્ભવતી મહિલાને ઈમરજન્સી પ્રક્રિયામાં મોડું ન થવું જોઈએ. ટેસ્ટિંગની અછતના કારણે ગર્ભવતી મહિલાને બીજા હોસ્પિટલમાં રેફર ન કરવા જોઈએ.

(3:19 pm IST)