Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

૨૦૨૧માં પણ કોરોનાનો કહેર રહી શકે છે યથાવતઃ એઈમ્સ ડાયરેકટર

નવી દિલ્હી, તા.પઃ દેશમાં કોરોના વાયરસનો વધતો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. શુક્રવારે ભારતમાં કોરોના સંક્રમણની કુલ સંખ્યા ૪૦ લાખને વટાવી ગઈ છે. વળી ૩૧ લાખથી વધુ કોરોના દર્દીઓ ઠીક પણ થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, અત્યાર સુધીમાં ૬૮,૪૭૨ કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

દરમિયાન, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) નાં ડાયરેકટર ડો.રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસથી રાહત હજુ જલ્દી મળવાની નથી. તેમણે કહ્યું કે, રોગચાળો ૨૦૨૧ સુધી ફેલાય તેવી સંભાવના છે. આપને જણાવી દઈએ કે ડો. ગુલેરિયા કોરોના પર કેન્દ્ર સરકારની વિશેષ ટાસ્ક ફોર્સનાં પ્રમુખ સભ્ય છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં કોરોનાનાં કેસોની સંખ્યા કેટલાક મહિનાઓ સુધી વધવાની શરૂ થઇ જશે. ગુલેરિયાએ કહ્યું કે, અમે તે કહી શકતા નથી કે રોગચાળો ૨૦૨૧ સુધીમાં ફેલાશે, પરંતુ આપણે શું કહી શકીએ કે રોગચાળો આવતા વર્ષનાં પ્રારંભમાં સમાપ્ત થઈ રહ્યો છે.

(3:36 pm IST)