Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

જેએનયુ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કન્હૈયાકુમારની નાગરિકતા ખતમ કરવાની અરજી રદ : અરજી કર્તા પર લાગ્યો રૂપિયા રપ૦૦૦ નો દંડ

ઇલાહાબાદ : ઇલાહાબાદ હાઇકોર્ટએ જેએનયુ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કન્હૈયાકુમારની નાગરિકતા સમાપ્ત કરવાની માંગમાં દાખલ અરજી કરદ કરી દીધેલ છે. સાથે જ નકામી અરજી દાખલ કરી કોટૃનો સમય ખરાબ કરવા માટે વારાણસીના રહેવાસી અરજી કર્તા નાગેશ્વર મિશ્ર પર રૂપિયા રપ૦૦૦ નો દંડ ફટકાર્યો છે.

આ આદેશ ન્યાયમૂર્તિ શશિકાંત ગુપ્તા અને ન્યાયમૂર્તિ શમીમ અહમદની ખંડપીઠએ આપ્યો છે. કન્હૈયાકુમાર ભારતમાં જ જન્મયા છે તે જ જન્મજાત ભારતના નાગરિક છે એમની નાગરિકતા સમાપ્ત નથી થઇ શકતી.

 

(11:57 pm IST)