Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

કેબિનેટમાં પ્રસ્તાવ પાસ પ્રસિધ્ધ માયાદેવી મંદિરને ઉતર ભારતનું સૌથી ઉંચુ મંદિર બનાવવામાં આવશે

નવી દિલ્હી : હરિદ્વારના જુના અખાડામાં આવેલ પ્રસિધ્ધ માયાદેવી મંદિરને ઉતર ભારતનું સૌથી ઉંચુ મંદિર બનાવવામાં આવશે. સરકારની કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો મંદિરની ઉંચાઇ વધારવાને લઇ હવે કોઇપણ પ્રકારનની રૂકાવટ નહીં આવે.

શહેરી વિકાસમંત્રી મદન કૌશિકએ માયાદેવી મંદિર પહોંચી પૂજા, અર્ચના  કરી આ દરમ્યાન સાધુ સંતોને મંત્રીશ્રીનું સ્વાગત કર્યુ હવે સંંબંધિત ડીપાર્ટમેન્ટ સંપૂર્ણ ઉતર ભારત ક્ષેત્રમાં સર્વે આદિ કરી રીપોર્ટ સોંપશે. એ પછી મંદિરની ઉંચાઇ વધારવા માટે નિર્માણ કાર્ય શરૂ થશે. માયાદેવી મંદિર દુનિયાના ખાસ મંદિરોમાં સામેલ થશે.

 

(11:54 pm IST)