Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

સોનિયા ગાંધીએ કર્ણાટકના મંદિરમાં કરી પૂજા- અર્ચના : કાલે ‘ભારત જોડો યાત્રા’માં જોડાશે

નાગરહોલ વન અભ્યારણ્યની પાસે ગામના જુના મંદિરમાં પ્રાર્થના કરી

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કર્ણાટકના એચડી કોટે વિધાનસભા વિસ્તારના બેગુર ગામના ભીમાનાકોલ્લી મંદિરમાં દશેરાના તહેવારને લઈને પૂજા કરી. તેમને સવારે નાગરહોલ વન અભ્યારણ્યની પાસે ગામના જુના મંદિરમાં પ્રાર્થના કરી હતી

 આ દરમિયાન સોનિયા ગાંધીની સાથે કોંગ્રેસ નેતા અને ગ્રામ પંચાયતના સભ્ય અને સ્થાનિક ધારાસભ્ય અનિલ કુમાર સી પણ હાજર રહ્યા હતા. સોનિયા ગાંધી હાલમાં કોંગ્રેસની ચાલી રહેલી ભારત જોડો યાત્રામાં ભાગ લેવા માટે અહીંયા આવ્યા છે અને માંડ્યા જિલ્લામાં અન્ય મુસાફરોની સાથે તેમાં સામેલ થશે. દશેરા માટે બે દિવસના વિરામ બાદ ગુરૂવારે યાત્રા આગળ વધશે.

 

 

(8:03 pm IST)