Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

જય કુતીયા મહારાણી મા! શ્વાનના મંદિર પર લોકો ટેકવે છે માથું: કોઈપણ શુભ કામમાં ચડાવાય છે ભોગ

આ મંદિર ઝાંસી જિલ્લાના મૌરાનીપુર તાલુકામાં છે

લખનૌ,તા. ૬: ભારત દેશ તેના વિવિધ સાંસ્‍કૃતિક અને ધાર્મિક વારસા માટે જાણીતો છે. આ આસ્‍થાનો દેશ છે, જયાં લાખો મંદિરો છે. કેટલાક લોકો વૃક્ષો અને છોડની પૂજા કરે છે અને કેટલાક લોકો પ્રાણીઓમાં આસ્‍થા ધરાવે છે. યુપીના ઝાંસીમાં કુતિયા રાણીનું મંદિર પણ છે.

કુતિયા રાનીના મંદિર વિશે સાંભળીને તમને આヘર્ય થશે. પરંતુ આヘર્ય પામશો નહીં, આ વાસ્‍તવિકતા છે.

આ મંદિર ઝાંસી જિલ્લાના મૌરાનીપુર તાલુકામાં છે. કુતિયા રાનીનું આ મંદિર મૌરાનીપુરના રેવન અને કકવાડા ગામની સરહદ પર છે. આ એક નાનું મંદિર છે, જે રસ્‍તાના કિનારે બનેલું છે

સફેદ પ્‍લેટફોર્મ પર રસ્‍તાના કિનારે કાળી કૂતરીનું પૂતળું સ્‍થાપિત કરવામાં આવ્‍યું છે. લોકો આ મંદિરમાં આવે છે, દર્શન કરે છે અને માથું નમાવી પૂજા કરે છે,

અહીંના લોકોનું કહેવું છે કે આ બંને ગામમાં એક શ્વાન રહેતી હતી, જે કોઈપણ સમયે ખાવા માટે પહોંચી જતી હતી. એકવાર રેવણ ગામમાં ભોજનનો કાર્યક્રમ હતો. રામતુલાનો અવાજ સાંભળીને કૂતરી રેવન ગામમાં ભોજન લેવા પહોંચી હતી. આ પછી તે કકવારા ગામ પહોંચી હતી, ત્‍યાં પણ ખાવાનું નહોતું મળતું અને આ રીતે તે ભૂખથી મરી ગઈ.

આ વિસ્‍તારમાં રહેતા ઈતિહાસ નિષ્‍ણાત હરગોવિંદ કુશવાહા કહે છે કે બંને ગામના લોકો શ્વાનનાં મૃત્‍યુથી ખૂબ જ દુઃખી થયા હતા, ત્‍યારબાદ તેઓએ બંને ગામની સરહદ પર કૂતરીને દફનાવી દીધી હતી અને થોડા સમય પછી ત્‍યાં મંદિર બનાવ્‍યું હતું. . હવે પરંપરા એવી છે કે આજુબાજુના ગામોમાં કોઈ પણ કાર્યક્રમ યોજાય તો લોકો આ મંદિરમાં જઈને ભોજન કરાવે છે.

(10:32 am IST)