Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

મમતાએ મંચ ઉપરથી ફુટબોલ ફેંકયો અને કહ્યું મેં એક પગથી નિશાન લગાવ્યુ અને જીતી ગઇ

હું ચંડીપાઠ કરૂ છું અને લા-ઇલાહા પણ બોલુ છું

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર ધર્મના આધારે લોકોને ભાગ પાડવાનો આરોપ લગાવ્યો હતો.  તેમણે કહ્યું  કે હું ચંડીપાઠ પણ કરું છું અને લા-ઇલાહા પણ બોલું છું કારણ કે મારા માતાપિતાએ ક્યારેય ભેદભાવ રાખવાનું શીખવ્યું નથી. દક્ષિણ ૨૪ પરગણાના ભાંગણમાં તેમણે કહ્યું કે દેશદ્રોહી મીર જાફર ક્યાંક ઉભો રહ્યો છે. તેમને એક પણ મત ન આપો. રમત થશે ,ભાજપને હરાવવા પડશે. આ માટીમાંથી હટાવવો પડશે. મમતાએ વધુમાં કહ્યું હતું કે તૃણમૂલ તોફાન કરતો નથી, ભાજપ તોફાનો કરે છે. તો શું ભાજપને મત આપવો યોગ્ય છે? હું ભાજપને હિન્દુ મુસ્લિમ કરવા નહીં દઉં

મમતા બેનર્જીએ કહ્યું કે આસામમાં ૧૪ લાખ બંગાળીઓને બાકાત રાખવામાં આવ્યા છે. હું એનઆરસી-એનપીઆરને મંજૂરી આપીશ નહીં. તેમણે કહ્યું કે ગુજરાતને રાજ કરવું સરળ નથી,જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી નહીં. મમતાએ કહ્યું કે ભાજપના ત્રણ મિત્રો છે સીપીએમ, કોંગ્રેસ અને અબ્બાસ છે.  રેલી દરમિયાન ભાજપ વિરુધ્ધ સુત્રોચ્ચાર કરતાં મમતાએ મંચ ઉપરથી ફુટબોલ ફેંકયો અને કહ્યું મેં એક પગથી નિશાન લગાવ્યું અને જીતી ગઇ.

(3:24 pm IST)