Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

મુંબઈનું પવઈ તળાવ છલકાયું :સંગ્રહ ક્ષમતા 545 કરોડ લિટર

ભારે વરસાદ વચ્ચે સાંજથી મુંબઈમાં પવઈ સરોવર ઉભરાવા લાગ્યું

મુંબઈ : સ્થાનિક નાગરિક સંસ્થાના એક અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ વચ્ચે સાંજથી મુંબઈમાં પવઈ સરોવર ઉભરાવા લાગ્યું છે. તેમણે કહ્યું કે તળાવની સંગ્રહ ક્ષમતા 545 કરોડ લિટર છે અને સાંજે 6:15 વાગ્યે ઓવરફ્લો થવાનું શરૂ થયું. જોકે, તળાવનું પાણી પીવાલાયક નથી. તેનો ઉપયોગ ઔદ્યોગિક હેતુઓ માટે થાય છે.

  ગયા વર્ષે 12 જૂને તે ઓવરફ્લો થઈ ગયું હતું. જ્યારે તળાવ ભરાઈ જાય છે, ત્યારે પાણીનો વિસ્તાર લગભગ 2.23 ચોરસ કિલોમીટર છે, જ્યારે કેચમેન્ટ વિસ્તાર 6.61 ચોરસ કિલોમીટર છે. BMC હેડક્વાર્ટરથી લગભગ 27 કિમી દૂર સ્થિત પવઈ તળાવ 1890માં 40 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હતું.

 

(7:42 pm IST)