Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

કોવિશિલ્ડ વેક્સિનના બન્ને ડોઝની વચ્ચેનો સમયગાળો ઘટાડવાની કેન્દ્રની વિચારણા

વૈજ્ઞાનિક પુરાવાઓને આધારે આ નિર્ણય લેવામાં આવશે

નવી દિલ્હી :  45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોવિશિલ્ડ વેક્સિનના બન્ને ડોઝની વચ્ચેનો સમયગાળો ઘટાડવાની કોઈ જાહેરાત તો કરવામાં આવી નથી પરંતુ આ મુદ્દો સરકારની ટોચની પ્રાથમિકતા છે અને ગમે ત્યારે તેની જાહેરાત થઈ શકે છે.

કોવિડ-19 વર્કિંગ ગ્રુપના ચેરમેન ડો.એન.કે અરોરાએ જણાવ્યું છે કે બે થી ચાર અઠવાડિયાની અંદર નિર્ણય લેવાઈ શકે છે. જોકે વૈજ્ઞાનિક પુરાવાઓને આધારે આ નિર્ણય લેવામાં આવશે તેવું તેમણે જણાવ્યું છે.

(12:00 am IST)