Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

છત્તીસગઢમાં આઈઈડી વિસ્ફોટ :નક્સલવાદીઓએ એસયુવી કાર ઉડાવી: એકનું મોત :11 લોકો ઘાયલ

ઘોટીયા ગામ નજીક એક એસયુવી કાર ઉપર ભયંકર વિસ્ફોટ : સુરક્ષાદળોનું વાહન સમજીને નક્સલવાદીઓએ નાગરિકોની કાર ઉડાવી દીધી

રાયપુર : છત્તીસગઢના દાંતેવાડામાં આઈઈડી વિસ્ફોટ કરીને નક્સલવાદીઓએ નાગરિકોની એક એસયુવી કાર ઉડાવી દીધી હતી. એમાં એકનું મોત થયું હતું અને ૧૧ ઈજાગ્રસ્ત બન્યા હતા.

  છત્તીસગઢના માલેવાઢી પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા ઘોટિયા ગામ નજીક એક એસયુવી કાર ઉપર ભયંકર વિસ્ફોટ થયો હતો. નક્સલવાદીઓએ એસયુવી કાર ઉપર હુમલો કર્યો હતો, જેમાં એકનું મોત થયું હતું અને ૧૧ને ઈજા પહોંચી હતી. વાહનમાં કુલ ૧૨ લોકો હતા. આ લોકો છત્તીસગઢથી મધ્યપ્રદેશ જતા હતા.
  પોલીસના કહેવા પ્રમાણે સુરક્ષાદળોનું વાહન સમજીને નક્સલવાદીઓએ નાગરિકોની કાર ઉડાવી દીધી હોવાની શક્યતા છે. આ અંગે તપાસ શરૃ કરવામાં આવી હતી. જે વિસ્તારમાંથી ગાડી પસાર થઈ હતી એ નક્સલવાદીઓનો વિસ્તાર હતો. ઘાયલ થયેલા તમામને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. એમાંથી એકનું મોત થયું હતું અને બાકીના ત્રણની સ્થિતિ ખૂબ જ નાજૂક હોવાનું પોલીસે કહ્યું હતું. રસ્તામાં વિસ્ફોટકોનો જથ્થો રાખીને આ હુમલાને અંજામ અપાયો હતો. રસ્તા ઉપર એક ખાદો પાડીને એમાં વિસ્ફોટકો બિછાવી દીધા હતા. સુરક્ષાદળોના જવાનો નક્સલીઓના નિશાના પર હતા.

(11:07 pm IST)