Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

મંદિરના 76 વર્ષીય પુજારીને આજીવન કેદ : 7 અને 9 વર્ષની બે સગીર બાળકીઓ ઉપર બળાત્કાર કર્યો : જ્યાં બાળકો સુરક્ષિત હોવા જોઈએ તે મંદિરને અપવિત્ર કર્યું : આવા શિકારીઓને છુટા મુકવાથી સમાજમાં ખોટો દાખલો બેસશે : દિલ્હી કોર્ટનો ચુકાદો

ન્યુદિલ્હી :  7 અને 9 વર્ષની બે સગીર બાળકીઓ ઉપર અવાર નવાર બળાત્કાર કરવા બદલ દોષિત પુરવાર થયેલા એક મંદિરના 76 વર્ષીય પુજારીને દિલ્હીની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સાથોસાથ જણાવ્યું છે કે જ્યાં બાળકો સુરક્ષિત હોવા જોઈએ તે મંદિરને પુજારીએ અપવિત્ર કર્યું છે.આવા શિકારીઓને છુટા મુકવાથી સમાજમાં ખોટો દાખલો બેસશે અને અમે અમારી ફરજ ચુક્યા ગણાશું.

 નામદાર કોર્ટે પુજારીને સજા ફરમાવવા ઉપરાંત બંને પીડિતાઓને શારીરિક અને માનસિક આઘાત બદલ 7 લાખ 50 હજાર રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(6:40 pm IST)