Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

આઈડિયા-વોડાફોન બંધ થાય તો ૨૮ કરોડ ગ્રાહકને અસર

ભારતનું ટેલિકોમ સેક્ટર ભારે ચર્ચામાં : વોડાફોન આઈડિયા કંપની પર હાલમાં ૧.૮૦ લાખ કરોડ રૂપિયાનુ દેવું છે, જે કંપનીએ લોન તરીકે લીધેલી રકમ છે

નવી દિલ્હી, તા.૬ : ભારતનુ ટેલિકોમ સે્કટર આજકાલ ચર્ચાનો વિષય બન્યુ છે અને ખાસ કરીને વોડાફોન-આઈડિયા કંપનીના ભવિષ્યને લઈને અટકળો થઈ રહ્યો છે.

વધતા જતા નુકસાન અને નવુ રોકાણ નહીં આવી રહ્યુ હોવાથી કંપનીની મુશ્કેલીઓ વધી રહી છે. એટલે સુધી કે કંપનીના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ તો પોતાના પદથી રાજીનામુ આપી દીધુ છે. જો કંપની બંધ થઈ તો તેની અસર દેશના ૨૮ કરોડ ગ્રાહકો તેમજ દેશની મોટી ૮ બેક્નો પર જોવા મળશે.

વોડાફોન આઈડિયા કંપની પર હાલમાં ૧.૮૦ લાખ કરોડ રૂપિયાનુ દેવુ છે. જે કંપનીએ અલગ અલગ સ્વરૂપે લોન તરીકે લીધેલી રકમ છે. જેમાં બેક્નો પણ સામેલ છે.જો કંપની બંધ થઈ તો બેક્નોના હજારો કરોડો રૂપિયા સવલાઈ જશે. કઈ બેક્ને વોડાફોન આઈડિયાને કેટલી લોન આપેલી છે તેના આંકડા આ પ્રમાણે છેઃ આઈડીએફસી ૩૨૪૦ કરોડ, યસ બેક્ન ૪૦૦૦ કરોડ, પીએનબી ૩૦૦૦ કરોડ, એસબીઆઈ ૧૧૦૦૦ કરોડ, આઈસીઆઈસીઆઈ ૧૭૦૦ કરોડ, એક્સિસ બેક્ન ૧૩૦૦ કરોડ, એચડીએફસી બેક્ન ૧૦૦૦ કરોડ, ઈન્ડસઈન્ડ બેક્ન ૩૫૦૦ કરોડ.

 

 જોકે કંપની બંધ થઈ તો ૨૮ કરોડ મોબાઈલ ગ્રાહકો પર તેની અસર દેખાશે. આ ગ્રાહકોના ફોન નંબર પણ કંપની બંધ થઈ તો બંધ થઈ જશે. જોકે તેનો ફાયદો જીયો, એરટેલ જેવી કંપનીઓને મળશે.

વોડાફોન આઈડિયાના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ સરકારને કંપનીમાંથી પોતાનો હિસ્સો વેચવાની ઓફર કરી હતી. જોકે સરકારે તેનો જવાબ નહીં આપતા તેમણે રાજીનામુ આપ્યુ હતુ અને તેના કારણે કંપની બંધ થશે તેવી અટકળો શરૂ થઈ છે.

જોકે કંપનીના સીઈઓએ પોતાના કર્મચારીઓને આશ્વસાન આપ્યુ છે કે, પેનિક થવાની જરૂર નથી અને સ્થિતિ નિયંત્રણ હેઠળ છે

જોકે નવુ ફંડ મેળવવાના કંપનીના પ્રયત્નો નિષ્ફળ ગયા છે. તાજેતરમાં આઈડિયા અને વોડાફોનનુ મર્જર પર થયુ હતુ. જોકે કંપની સતત ખોટમાં છે અને તેના પર ૧.૮૦ લાખ કરોડનુ દેવું છે.

(7:54 pm IST)