Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

વડાપ્રધાન મોદી PMGKAYનાં મધ્યપ્રદેશનાં લાભાર્થીઓ સાથે આવતીકાલે કરશે વાતચીત

વિડીયો કોન્ફરન્સિંગ માઘ્યમથી સંવાદ કરશે : રાજ્યપાલ મંગુભાઈ પટેલ તથા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહેશે.

નવી દિલ્હી : વડાપ્રધાન મોદી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનાં મધ્યપ્રદેશનાં લાભાર્થીઓ સાથે આવતીકાલે સવારે અગિયાર વાગે વિડીયો કોન્ફરન્સિંગ માઘ્યમથી સંવાદ કરશે. મધ્યપ્રદેશનાં રાજ્યપાલ મંગુભાઈ પટેલ તથા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે

  આ સંવાદમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, ત્રિપુરા, હરીયાણા, અને ગોવાનાં મંત્રીઓ અને અધિકારીઓ પણ જોડાશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણા અન્ન યોજનાનો લાભ ચાર કરોડ 83 લાખ લાભાર્થીઓ લઈ રહ્યા છે તેમને રાજ્યની વાજબી ભાવની દુકાનો પરથી વિનામૂલ્યે અનાજ મળી રહ્યું છે.

(9:56 pm IST)