Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

પરિવારમાં દીકરી કરતાં પુત્રવધૂનો અધિકાર વધારે

અલાહાબાદ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

લખનૌ,તા. ૬ : જાહેર વિતરણ સિસ્ટમમાં નવી વ્યવસ્થા બનાવતા અલ્હાબાદ હાઈકોર્ટે પુત્રવધૂને પરિવારની કેટેગરીમાં રાખવાનો આદેશ આપ્યો છે.

આ સાથે સરકારને ૫ ઓગસ્ટ, ૨૦૧૯ના આદેશમાં ફેરફાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે પરિવારમાં દીકરી કરતાં પુત્રવધૂનો અધિકાર વધારે છે.

પરંતુ, ઉત્ત્।ર પ્રદેશ એસેન્શ્યલ કોમોડિટીઝ (વિતરણના નિયમનનું નિયંત્રણ) ઓર્ડર ૨૦૧૬ માં, પુત્રવધૂને કુટુંબની શ્રેણીમાં રાખવામાં આવી નહોતી અને તેના આધારે, રાજય સરકારે ૨૦૧૯ નો આદેશ બહાર પાડ્યો છે જેમાં પુત્રવધૂ પરિવારની શ્રેણીમાં નથી રાખવામાં આવી. પણ આ કારણે પુત્રવધૂને તેના અધિકારોથી વંચિત ન રાખી શકાય.

પરિવારમાં દીકરી કરતાં પુત્રવધૂનો વધુ અધિકાર છે. પછી પુત્રવધૂ વિધવા હોય કે ન હોય. તે પણ દીકરીની જેમ જ પરિવારનો એક ભાગ છે (ચાહે તે છૂટાછેડા લીધેલ હોય કે વિધવા).

હાઈકોર્ટના આ આદેશમાં ઉત્ત્।ર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ, સુધા જૈન વિરુદ્ઘ ઉત્ત્।ર પ્રદેશ રાજય, ગીતા શ્રીવાસ્તવ વિરુદ્ઘ ઉત્ત્।ર પ્રદેશ રાજયનો કેસ પણ ટાંકવામાં આવ્યો છે અને જયારે અરજદાર પુષ્પાની અરજી સ્વીકારવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. દેવીને તેમના નામે રાશનની દુકાન ફાળવવા સૂચના આપવામાં આવી છે.

અરજદાર પુષ્પા દેવીએ હાઈકોર્ટમાં અરજી કરી છે કે તે વિધવા છે. તેમની સાસુ મહાદેવી દેવી જેમના નામે રાશનની દુકાન ફાળવવામાં આવી હતી. તેના સાસુનું ૧૧ એપ્રિલ ૨૦૨૧ના રોજ અવસાન થયું હતું. જેના કારણે તેમની આજીવિકામાં સંકટ સર્જાયું હતું. તેણી અને તેના બંને બાળકો તેના સાસુ પર સંપૂર્ણપણે નિર્ભર હતા.

સાસુ-સસરાના અવસાન પછી તેમના પરિવારમાં એવા કોઈ સ્ત્રી-પુરુષ બચ્યા નથી કે જેના નામે રાશનની દુકાન ફાળવી શકાય. તેથી, તે તેની સાસુની કાયદેસરની વારસદાર છે અને તેના નામે રાશનની દુકાન ફાળવવી જોઈએ.

અરજદારે રેશનશોપની ફાળવણી અંગે સંબંધિત સત્ત્।ાધિકારીને રજૂઆત કરી હતી. પરંતુ, ઓથોરિટીએ તેણીની રજૂઆતને નકારી કાઢી હતી કે ઉત્ત્।ર પ્રદેશ સરકારના ૫ ઓગસ્ટ, ૨૦૧૯ના આદેશ હેઠળ પુત્રવધૂ અથવા વિધવા પુત્રવધૂને કુટુંબની શ્રેણીમાં રાખવામાં આવી નથી. તેથી પુત્રવધૂને રાશનની દુકાન ફાળવી શકાતી નથી. આ આદેશ સામે અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

(10:07 am IST)