Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

તેલંગાણામાં કોરોના બ્લાસ્ટ : મેડિકલના ૪૩ વિદ્યાર્થીઓને કોરોના

શાળા કોલેજોમાં સંક્રમણ વધતા ચિંતા

નવી દિલ્હી તા. ૬ : દેશમાં વધી રહેલા ઓમિક્રોનના કેસથી ટેન્શન વધ્યું છે. હવે તેલંગાણામાં ૪૩ મેડિકલ સ્ટુડન્ટ્સ કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું હતું.

દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટે ચિંતા વધારી છે, તો બીજી તરફ દેશની શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓને કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યું હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.

ત્યારે હવે તેલંગાણાના બોમકલ સ્થિત ચલમેડા આનંદરાવ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ૪૩ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતા સમગ્ર પંથકમાં હડકંપ મચ્યો છે. આ માહિતી કરીમનગરના જિલ્લા તબીબી આરોગ્ય અધિકારીએ આપી છે. આ પહેલા પણ કેટલાક રાજયોમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે.

(2:56 pm IST)