Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

કર્ણાટક કોંગ્રેસના પીઢ નેતા સિદ્ધારમૈયાએ ઈમોશનલ કાર્ડ ફેંક્યું :રાજનેતા તરીકે છેલ્લી ચૂંટણી હોવાનો દાવો

કર્ણાટકના કોંગ્રેસના પીઢ નેતા હોવાની સાથે લોકપ્રિય છે. તેમની ઈમોશનલ અપીલ લોકોને અપીલ કરશે એવું કોંગ્રેસનું માનવું છે

કર્ણાટકમાં પંજાબના કેપ્ટન અમરિંદરવાળો દાવો સિદ્ધારમૈયાએ રમ્યો છે. 2017ની ચૂંટણીમા કેપ્ટને ચૂંટણી વખતે તેઓ છેલ્લી વખત મુખ્ય પ્રધાન તરીકે ચૂંટણી લડી રહ્યા હોવાનું કહીને લોકોનું સહાનુભૂતિ લઈને જીતી ગયા હતા. જોકે તેઓએ હજી સુધી રાજકરણથી નિવૃતિ લીધી નથી. કર્ણાટકમાં પણ કોંગ્રેસી નેતા એવો જ દાવ રમી રહ્યા છે.

 સૂત્રો મુજબ કર્ણાટકમાં ભાજપ અને કોંગ્રેસ બંને આ ચૂંટણી જીતવા મરણિયા થયા છે. એવામાં જાહેરસભામાં સિદ્ધારમૈયાએ ચૂંટણીના થોડા વખત પહેલા જ તેમણે રાજનેતા તરીકે છેલ્લી ચૂંટણી હોવાનો ઈમોશનલ કાર્ડ રમ્યું છે. તેઓ કર્ણાટકના કોંગ્રેસના પીઢ નેતા હોવાની સાથે લોકપ્રિય છે. તેમની ઈમોશનલ અપીલ લોકોને અપીલ કરશે એવું કોંગ્રેસનું માનવું છે

(12:51 am IST)