Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

મુંબઈના તમામ બીચ પર્યટકો માટે 30 એપ્રિલ સુધી બંધ કરવા આદેશ

ઉદ્યાનો, મોલ, થિયેટર, રાણીબાગ સહિત અનેક જગ્યા મુલાકાતીઓ માટે 30 એપ્રિલ સુધી બંધ રહેશે

મુંબઈ સહિત રાજ્યમાં લાદવામાં આવેલા મિની લોકડાઉનમાં તાત્કાલિક ધોરણે મુંબઈના તમામ બીચ પર્યટકો માટે બંધ કરી દેવાનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે.નિયંત્રણ બહાર જઈ રહેલા કોરોનાને રોકવા માટે મુંબઈ સહિત રાજ્યમાં અનેક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે.

ઉદ્યાનો, મોલ, થિયેટર, રાણીબાગ સહિત અનેક જગ્યાને મુલાકાતીઓ માટે 30 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવ્યા છે, તેમાં હવે મુંબઈના તમામ બીચનો પણ સમાવેશ થાય છે. ચાર એપ્રિલ 2021ના રાજ્યના ચીફ સેક્રેટરીએ આદેશ બહાર પાડીને મુંબઈ મહાનગરપાલિકાને મુંબઈના તમામ દરિયાકિનારા, ચોપાટીઓને 30 એપ્રિલ, 2021 સુધી પર્યટકો માટે પ્રતિબંધિત ક્ષેત્ર કરવાનો આદેશ આપ્યો છે. નિયમનું ઉલ્લંઘન કરનારા સામે કાયદા મુજબ પગલાં લેવામાં આવશે.

(1:06 pm IST)