Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

કેજીએફ ચેપ્ટર-૨ના અભિનેતા મોહન જુનેજાનું થયેલું નિધન

કેજીએફના ચાહકો માટે દુઃખદ સમાચાર ઃ અભિનેતા કોમેડી માટે જાણીતા હતા, તેમણે કેજીએફમાં પત્રકાર આનંદની ઈનફોર્મરની ભૂમિકા ભજવી હતી

મુંબઈ, તા.૭ ઃ  કેજીએફ ૨ના કલાકારોને ચાહકોએ ખુબ જ પસંદ કર્યા છે પરંતુ હવે ચાહકો માટે એક શોકમગ્ન સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મમાં જોવા મળેલા અભિનેતા મોહન જુનેજાએ આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધુ છે. અભિનેતાએ આજે એટલે કે, ૭ મેના રોજ બીમારીને કારણે નિધન થયું છે.

કેજીએફ ૨ ફેમ મોહન જુનેજાનું આજે સવારે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને અભિનેતાએ સારવાર દરમિયાન બેંગ્લોરની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ચાહકોને પોતાની કોમેડીથી હસાવનાર મોહન આજે સૌની આંખો ભીની કરી ગયા છે. આજે જ અભિનેતાના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવશે.

મોહન જુનેજાએ કરિયરની વાત કરીએ તો, અભિનેતા ફિલ્મોમાં પોતાની શાનદાર કોમેડિ માટે જાણીતા હતા. તેમણે દક્ષિણ ભારતની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. મોહન જુનેજા કેજીએફ ચેપ્ટર ૧ અને ચેપ્ટર ૨માં પણ જોવા મળ્યા હતા. તેમણે કેજીએફમાં પત્રકાર આનંદની ઈનફોર્મરની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેમની ભૂમિકાને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. અભિનેતા મોહન જુનેજા સાઉથ ઈન્ડસ્ટ્રિનો પ્રખ્યાત ચહેરો હતો. મોહન જુનેજાએ કોમેડિયન તરીકે કરિયરની શરૃઆત કરી હતી. મોહન તેમના તેજસ્વી પાત્ર ચેલતા માટે જાણીતા છે. તેમણે પહેલા તમિલ, તેલુગૂ, મલયાલમ અને હિન્દી ભાષાની પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાની કરિયરમાં ૧૦૦થી વધારે ફિલ્મો કરી છે.

(8:10 pm IST)