Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

મુંબઈના બાન્દ્રામાં બિલ્ડિંગનો એક હિસ્સો ધસી પડ્યો :અનેક લોકો કાટમાળ નીચે દટાયા : એકનું મોત: 5 ઘાયલ

બાંદ્રાના ખેરવાડી વિસ્તારમાં લગભગ પોણા બે વાગે દુર્ઘટના : અત્યાર સુધીમાં 17 લોકોને રેસ્ક્યૂ કરાયા

મુંબઈમાં મધરાતે એક મોટી દુર્ઘટના ઘટી. બાંદ્રા વિસ્તારમાં બિલ્ડિંગનો એક ભાગ ધસી પડ્યો જેના કાટમાળ નીચે લોકો દબાઈ ગયા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. છેલ્લે મળતી માહિતી મુજબ 17 લોકોને રેસ્ક્યૂ કરાયા છે.

ઘટના સ્થળે અકસ્માત બાદ ફાયર અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમણે લોકોને રેસ્ક્યૂ કરવાનું કરવાનું શરૂ કર્યું. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.
બીએમસી તરફથી જાણકારી અપાતા કહેવાયું કે અત્યાર સુધીમાં 17 લોકોને રેસ્ક્યૂ કરાયા છે. બાંદ્રાના ખેરવાડી વિસ્તારમાં લગભગ પોણા બે વાગે આ ઘટના ઘટી જેમાં બિલ્ડિંગની એક દિવાલ તૂટી પડી

(11:10 am IST)