Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

૬૬ કોર્પોરેટરોએ શિંદે કેમ્‍પને સમર્થન આપવા સીએમ શિંદેના નિવાસસ્‍થાન નંદનવન ખાતે શપથ લીધા

મહારાષ્‍ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના વળતાં પાણી ? : હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેના થાણે કોર્પોરેશનમાં વિખરાઈ : થાણેમાં મુખ્‍યમંત્રી એકનાથ શિંદેને ૬૭ માંથી ૬૬ કોર્પોરેટરોનું સમર્થન : મહારાષ્‍ટ્રના ભૂતપૂર્વ સીએમ ઠાકરે લગભગ ૪૦ ધારાસભ્‍યો ગુમાવ્‍યા પછી પહેલેથી જ સાંસદો, કોર્પોરેટરો અને પક્ષના પદાધિકારીઓને સાથે રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે

થાણે તા.૭:  શિવસેનામાં શરૂ થયેલો બળવો હવે વિધાયક દળમાંથી કાઉન્‍સિલરો તરફ વળ્‍યો છે. અહેવાલ છે કે બુધવારે થાણેમાં મુખ્‍યમંત્રી એકનાથ શિંદેના જૂથમાં ૬૭માંથી ૬૬ કાઉન્‍સિલરો જોડાયા છે. એવા અહેવાલો હતા કે મહારાષ્‍ટ્રના ભૂતપૂર્વ સીએમ ઠાકરે લગભગ ૪૦ ધારાસભ્‍યો ગુમાવ્‍યા પછી પહેલેથી જ સાંસદો, કોર્પોરેટરો અને પક્ષના પદાધિકારીઓને સાથે રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આની  સીધી અસર થાણેની સ્‍થાનિક ચૂંટણીમાં જોવા મળી શકે છે. સીએમ શિંદેના નિવાસસ્‍થાન નંદનવન ખાતે ભેગા થયેલા ૬૭ કાઉન્‍સિલરોમાંથી ૬૬એ શિંદે કેમ્‍પને સમર્થન આપવા શપથ લીધા છે. ખાસ વાત એ છે કે આ દરમિયાન માત્ર સાંસદ રાજન વિચારેની પત્‍ની નંદિની વિચારે જ જૂથમાં જોડાઈ ન હતી. કહેવામાં આવી રહ્યું છે કે આટલી મોટી સંખ્‍યામાં કાઉન્‍સિલરોના સમર્થન બાદ થાણેની લડાઈ શિંદે વિરુદ્ધ ઠાકરે બની ગઈ છે.

પક્ષ લેનારા મેયર નરેશ મ્‍હસ્‍કેએ કહ્યું, ઁઅમે બધા પહેલા દિવસથી તેમની સાથે હતા. જો કે, અગાઉ કેટલાક લોકો ખુલ્લેઆમ સાથે આવ્‍યા ન હતા. તેથી અમે નક્કી કર્યું છે કે શિંદેને સત્તાવાર સમર્થન બતાવવા માટે આપણે બધાએ સાથે આવવું જોઈએ. માત્ર નંદિની વિચારે અમારી સાથે નથી. વધુ બે કાઉન્‍સિલરો, નરેશ માનેરા અને સુધીર કોકાટે હાજર રહી શકયા ન હતા કારણ કે માનેરાની બાયપાસ સર્જરી હતી અને કોકાટે પ્રવાસ પર હતા. જો કે, તેઓ અમારી સાથે છે.

શિવસેનાના નવા પક્ષના વ્‍હીપ રાજન વિચારે હવે ઠાકરે પરિવાર સાથે છે. તેમણે શિંદેને સમર્થન આપવાનો ઈન્‍કાર કરી દીધો છે. આવી સ્‍થિતિમાં તેમની પત્‍ની હવે થાણે શહેરમાં શિવસેનાની એકમાત્ર કાઉન્‍સિલર છે.

ઠાકરે સરકારમાં મંત્રી રહેલા ગુલાબરાવ પાટીલે તાજેતરમાં દાવો કર્યો હતો કે શિવસેનાના ૧૮માંથી ૧૨ સાંસદો શિંદે જૂથમાં જોડાઈ શકે છે. ખાસ વાત એ છે કે તાજેતરમાં જ એક સાંસદે પાર્ટી ચીફ ઠાકરેને ફઝખ્‍ના રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપવા કહ્યું હતું. આ સાથે તેમણે પાર્ટીને પણ આવા જ નિર્દેશ આપવાની માંગ કરી હતી.

(4:22 pm IST)