Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

કયાં છે મોદી સરકાર ? કોરોના દર્દીઓનો આંકડો લાખોને પાર : રાહુલના તાતા તીર

નવી દિલ્હી તા. ૭ : દેશમાં કોરોના સંક્રમણનો કહેર લગાતાર વધી રહ્યો છે. દર્દીઓનો આંકડો ૨૦ લાખને વટી ચુકયો છે. ત્યારે મોદી સરકાર શું કરી રહી છે ? તેવા તાતા તીર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ છોડયા છે.

૧૭ જુલાઇના ટવીટર પર રાહુલે લખ્યુ છે કે અત્યારે ૧૦ લાખનો આંકડો કોરોનાએ કુદાવ્યો છે. એ જોતા ૧૦ ઓગષ્ટ સુધીમાં ૨૦ લાખ લોકો સંક્રમિત થઇ ગયા હતા. આમ આટલી ગતિએ કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે મહામારીને રોકવામાં સરકાર શું કરી રહી છે?

(11:34 am IST)