Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

રાજકોટમાં મોતનો કહેર જારી : ૨૮ના મોત

રાજકોટ શહેર અને ગ્રામ્યના તા.૫ના સવારે ૮ થી ગઇકાલ તા. ૬ના સવારે : ૮ સુધીના આંકડા

રાજકોટ, તા. ૭ : કોરોનાનો આતંક જારી છે. દિન પ્રતિ દિન મોતના આંકડાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત તા. ૫ સપ્ટેમ્બરથી ગઈકાલ તા. ૬ સપ્ટેમ્બર સુધીમાં રાજકોટ શહેર અને ગ્રામ્યના એમ કુલ ૨૮ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે.

તંત્ર પાસેથી મળેલ સત્તાવાર આંકડાઓની યાદી મુજબ રાજકોટ શહેરના ૨૫, ગ્રામ્યના ૧ અને અન્ય જિલ્લાના ૧ સહિત કુલ ૨૮ કોરોનાના દર્દીઓના મૃત્યુ થયા છે.

નોંધનીય છે કે તંત્ર દ્વારા કરેલી કામગીરીના આંકડાઓની માહિતીની સત્તાવાર યાદી છેલ્લા બે દિવસથી શરૂ કરવામાં આવી છે. જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘરે ઘરે સર્વે, ધન્વન્તરી રથ, હેલ્થ સેન્ટર, સરકારી ખાનગી હોસ્પિટલમાં બેડ સહિતની સુવિધાની માહિતી આપવામાં આવી છે.

(3:01 pm IST)