Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

પશ્ચિમ બંગાળ : ભાજપના વધુ એક કાર્યકરની હત્યાથી વિવાદ

તૃણમૂલે હત્યા કરાવી હોવાનો ભાજપનો આરોપ : બંગાળમાં ૨૦૨૧માં વિધાનસભા ચૂંટણી છે, અત્યારથી કોંગ્રેસ, ભાજપ અને તૃણમૂલ પોતપોતાની બાજી ગોઠવે છે

કોલકાતા, તા. : પશ્ચિંમ બંગાળમાં ભાજપના વધુ એક કાર્યકરની કથિત હત્યાને મામલે રાજકીય માહોલ ગરમ બન્યો છે. રૉબિન પોલ નામના એક કાર્યકરની તૃણમૂલ કોંગ્રેસ દ્વારા હત્યા કરાઇ હોવાનો આક્ષેપ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયે કર્યો હતો.

વિજયવર્ગીયે મિડિયાને કહ્યું કે મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ ભાજપને ડરાવવા સતત હુમલા કરતા રહ્યા હતા. ભાજપના કાર્યકરોની હત્યા કરીને ભાજપને ડરાવવાના પ્રયાસો થઇ રહ્યા હતા. અમે ડરવાના નથી. તેમણે કહ્યું કે મમતા બેનરજી રાજ્ય વિધાનસભાની ચૂંટણી જીતવા નક્સલવાદી પરિબળોની મદદ લઇ રહ્યા હતા. ટ્રેન્ડ અત્યંત ખતરનાક હતો. ઝારગ્રામ વિસ્તાર જંગલથી ઘેરાયેલો અને નક્સલવાદી પ્રભુત્વ ધરાવતો વિસ્તાર હતો. વિસ્તારના માઓવાદી સ્થાનિક પોલીસની મદદથી હુમલા કરી રહ્યા હતા અને વિસ્તારમાં નરી અરાજકતા ફેલાવવા પ્રયત્નશીલ હતા. આવું ક્યાં સુધી ચાલવાનું છે. તેમણે મમતા બેનરજીના પક્ષને ચેતવણી આપી હતી કે પ્રકારની ગુંડાગીરી બંધ કરો. ભાજપ લાંબો સમય આવી ગુંડાગીરી સાંખી નહીં લે.   પશ્ચિમ બંગાળમાં આવતા વરસે ૨૦૨૧માં રાજ્ય વિધાનસભાની ચૂંટણી થવાની છે. અત્યારથી કોંગ્રેસ, ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ પોતપોતાની બાજી ગોઠવી રહ્યા  હતા. ભાજપે પોતાના ફાયરબ્રાન્ડ નેતા કૈલાસ વિજયવર્ગીયને પશ્ચિમ બંગાળ ભાજપના પ્રભારી બનાવ્યા હતા. હાલ કૈલાસ રાજ્યના પ્રવાસે હતા. હાલ તૃણમૂલ કોંગ્રેસ અને  ભાજપ બંને એકબીજા પર વિવિધ આક્ષેપ કરી રહ્યા હતા. કોંગ્રેસનું અહીં જોર નહીંવત્ છે.

(9:02 pm IST)