Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ચીનના વિદેશ મંત્રાલયએ કહ્યુ-ચીનએ કયારેય પણ અરૂણાચલ પ્રદેશને માન્‍યતા નથી આપી અને બતાવ્‍યુ આ ચીનના દક્ષિણ તિબેટ ક્ષેત્રનો ભાગ છે

નવી દિલ્લીઃ અરૂણાચલ પ્રદેશના સુબતસીરી જીલાના પાંચ નાગરિકોના અપહરણ મામલામાં ભારતીય સેનાની પૂછપરછ પર ચીન એ હજુ પણ ચુપકીદી સેવી છે છતા ફરી એક વખત અરૂણાચલ પ્રદેશને લઇ વિવાદ ઉભો કરવાની કોશિશ કરી છે ચીનના વિદેશ મંત્રાલયએ ત્‍યાં સુધી કહ્યુ કે ચીનએ કયારેય પણ અરૂણાચલ પ્રદેશને માન્‍યતા નથી આપી અને આ ચીનના દક્ષિણ તિબેટનો હિસ્‍સો છે.

અરૂણાચલ પ્રદેશ અપહરણ થયેલા પાંચ ભારતીયો બારામા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતાને જયારે પૂછયુ તો એમણે આ બારામા જાણકારી આપવાને બદલે અરૂણાચલ પ્રદેશને ચિનનો હિસ્‍સો બતાવી દીધો.

(11:11 pm IST)