Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

પંજાબમાં બનેલી ઘટનાથી પીડા અનુભવી છેઃ પરમાત્મા સૌને સદ્બુધ્ધિ આપેઃ પૂ. મોરારીબાપુ

દેશ અને દુનિયામાં વરિષ્ઠ અને બલિષ્ઠ રાજપુરૂષ અને ભારત વર્ષના આદરણીય તથા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી...જય સિયારામ ! : પંજાબની ઘટના મુદ્દે ચિંતા વ્યકત કરતા રામાયણ કથાકાર

રાજકોટ તા. ૮: પૂ. મોરારીબાપુએ જણાવ્યું છે કે ‘રામ’, દેશ અને દુનિયામાં વરિષ્ઠ અને બલિષ્ઠ રાજપુરૂષ અને ભારત વર્ષનાં આદરણીય તથા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી! જય સિયારામ! પંજાબમાં બનેલી ઘટનાથી પીડા અનુભવી છે; પરમાત્મા સૌને સદબુદ્ધિ આપે. આપ આપણાં દેશના પ્રધાનમંત્રી છો, એની સાથેનો જે વ્યવહાર થયો તે ખૂબ જ અપ્રિય ઘટના છે. ખેર! પરમાત્મા આપને રાષ્ટ્રની અને દુનિયાની સેવા માટે વધુ ને વધુ શક્તિ-બળ-તંદુરસ્તી અર્પણ કરે એવી હનુમાનજીના ચરણોમાં મારી અંતઃકરણપૂર્વકની પ્રાર્થના! મારી રામકથાની વ્યાસપીઠ સાથે જોડાયેલાં સૌ ભાઇ-બહેનોની પ્રાર્થના.  રામ સ્મરણ સાથે  પૂ. મોરારીબાપુએ જણાવ્યું છે. પૂ. મોરારીબાપુએ પાઠવેલ સંદેશ અક્ષરસઃ નીચે મુજબ છે.

 

(10:30 am IST)