Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ઉત્તરાખંડ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને મોરારીબાપુ તરફથી 5 હજારની સહાય જાહેર

ચિત્રકૂટ ધામ-તલગાજરડા તરફથી આ તમામ રાશી ઉત્તરાખંડના મુખ્યપ્રધાનના રાહતનિધિ ફંડમાં અર્પણ કરાશે

અમદાવાદ :  ઉત્તરાખંડમાં થયેલા જળપ્રલયમાં ભોગ બનેલા હતભાગીઓને મોરારીબાપુ તરફથી સહાય જાહેર કરવામાં આવી છે. ઉત્તરાખંડના ચમોલી વિસ્તારમાં  ગ્લેશિયર ઓગળવાના કરણે તથા ભૂસ્ખલનને કારણે પુરની સ્થિતિ ઉભી થઈ હતી.

મહત્વ નું છે કે, ઉત્તરાખંડમાં બનેલી દૂર્ઘટનામાં અનેક લોકો મૃત્યુ પામ્યા હતા તેવી આશંકા સેવાઈ રહી છે, ત્યારે પ્રખ્યાત કથાકાર મોરારિબાપુ દ્વારા આ ઘટનામાં મોત થયેલા તમામ હતભાગીઓના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા 5 હજારની તત્કાલ સહાય મોકલવામાં આવી છે સાથે જ ચિત્રકૂટ ધામ-તલગાજરડા તરફથી આ તમામ રાશી ઉત્તરાખંડના મુખ્યપ્રધાનના રાહતનિધિ ફંડમાં અર્પણ કરવામાં આવ્યા છે. આ દુ:ખદ ઘટનામાં જેમને પોતાનાં પ્રાણ ગુમાવ્યા છે. તેમના નિર્વાણ માટે મોરારિબાપુએ પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનો તરફ સંવેદનાઓ પ્રગટ કરી છે.

(12:00 am IST)