Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ટીમ ઇન્ડિયાના વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંતે ઉત્તરાખંડના અસરગ્રસ્ત લોકો માટે મેચની ફી દાન કરી

ઋષભ પંતે, ઉત્તરાખંડમાં હિમસ્ખલન થવાથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે અપીલ કરી

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંતે, ઉત્તરાખંડમાં હિમસ્ખલન થવાથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે, તેની આખા મેચની પોતાની ફી દાન કરવાની જાહેરાત કરી છે. સાથે અન્ય લોકોને પણ મદદ કરવા વિનંતી કરી છે.

પંતે ટ્વિટ કર્યું હતુ કે, "ઉત્તરાખંડમાં થયેલા જાનમાલના નુકસાનથી બહુ દુઃખ થયુ છે. મેં બચાવ કાર્ય માટે, મારી મેચ ફી આપવાનુ નક્કી કર્યું છે, અને હું લોકોને પણ મદદ માટે આગળ આવવા અપીલ કરીશ.

 અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે ઉત્તરાખંડના ચમોલીમાં દિવસના 10 થી 11 ની વચ્ચે થયેલ હિમસ્ખલન ના કારણે 150 લોકો ગુમ થયા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. તે જ સમયે 25 લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે. જ્યારે 6 લોકો ઘાયલ થયા છે.

(12:07 am IST)