Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

તુર્કીનો પ્રવાસ ખેડવા માંગતા હતા પાક પીએમ

રહેવા દો, કોઇ જરૂર નથી : તુર્કીએ મોઢે મોઢ ચોપડાવ્‍યું

નવી દિલ્‍હી, તા.૮: તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપ બાદ સમગ્ર વિશ્વ પરેશાન છે. ભૂકંપના કારણે ૮ હજારથી વધુ લોકોના મોત થયા છે. હજારો લોકો ઘાયલ થયા છે અને ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. આ કુદરતી આફત બાદ સમગ્ર વિશ્વ તુર્કી અને સીરિયાની મદદ માટે આગળ આવ્‍યું છે. બચાવ કાર્ય માટે તમામ દેશો પોતાની ટીમ મોકલી રહ્યા છે. ભારતે મદદ માટે NDRF ટીમ, ડૉક્‍ટર્સ, મેડિકલ ટીમ, અસ્‍થાયી હોસ્‍પિટલ સહિત મોટી માત્રામાં રાહત સામગ્રી પણ મોકલી છે. આ સાથે જ મુશ્‍કેલ પરિસ્‍થિતિમાંથી પસાર થઈ રહેલા પાકિસ્‍તાને પણ મદદ મોકલવાની ઓફર કરી હતી, પરંતુ તુર્કીએ તેને ખરાબ રીતે ઠપકો આપ્‍યો હતો.

આ દુર્ઘટના બાદ પાકિસ્‍તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ, વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો અને અન્‍ય અધિકારીઓ તુર્કી સાથે એકતા દર્શાવવા ભૂકંપ પ્રભાવિત વિસ્‍તારોની મુલાકાત લેવા માંગતા હતા, પરંતુ તુર્કી સરકારે ઠપકો આપતા  ક હ્યું કે હવે અમે ભૂકંપથી સર્જાયેલી વિનાશથી બચવા માટે તૈયાર છીએ. ભૂકંપ અને તમે રાહત કાર્યમાં વ્‍યસ્‍ત છો, તેથી હવે અહીં આવશો નહીં. જે બાદ પાકિસ્‍તાનના પીએમએ તેમનો તુર્કી પ્રવાસ રદ્દ કર્યો હતો.(૯.૧પ)

(4:09 pm IST)