Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

મુંબઇનું અપમાન કરનારાઓને 'વાઇ+' સુરક્ષા મળે તે દુઃખદ : અનિલ દેશમુખ

મુંબઇ તા. ૮ : અભિનેત્રી કંગના રનૌતને અપાયેલ 'વાઇ+' સુરક્ષાને લઇને મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે જણાવ્યુ છે કે આ આશ્ચર્યજનક અને દુઃખદ કહેવાય કે મુંબઇનું અપમાન કરવાવાળાની આટલી બધી કદર કરવામાં આવે છે.

દેશમુખે આગળ જણાવ્યુ છે કે મુંબઇ કે મહારાષ્ટ્રનું કોઇ અપમાન કરે તો દરેક પક્ષના લોકોએ તેની નીંદા કરવી જોઇએ.

(2:47 pm IST)