Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

કોરોનાનો ભોગ બનેલા ૧૦૦૦ લોકોને અનોખી શ્રધ્ધાંજલિ

આખા જગતને ભરડામાં લેનારા કોરોનાના કહેરથી પોતાના દેશ અને દેશવાસીઓને બચાવવાના ઈઝરાયલના પ્રયાસોની વિશ્વભરમાં બે મોંએ પ્રશંસા થઈ રહી છે. એમ છતાં અહીં આટલા મહિનાઓમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારાઓનો આંકડો ૧૦૦૦ને પાર કરી જ ગયો. તલ અવિવના રેબિન સ્કવેઅર પર કોરોનાનો કોળિયો બની ગયેલા લોકોને શ્રદ્ઘાંજલિ આપવા માટે એક ખાસ પ્રતીકાત્મક ઇન્સ્ટોલેશન મૂકાયું હતું. ચોગાનમાં એક હજાર ખાલી ખુરસીઓ હારબધ ગોઠવવામાં આવેલી. જાણે કહેતી હોય કે જો કોરોના ન હોત તો અમે બધા અહીં સદેહે હાજર હોત.

(2:52 pm IST)